
ભારતમાં ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનોની સુલભતા વધારવી
વોકલ ફોર લોકલ અને પીએમ મોદીના આત્મનિર્ભર કૃષિ દ્રષ્ટિકોણને અનુરૂપ પગલાં
6 નવેમ્બર, 2020, નવી દિલ્હી: ઇફ્કોની ઇ-કોમર્સ શાખા www.iffcobazar.in, એસબીઆઇ યોનો કૃષિ સાથે એકીકરણની જાહેરાત કરી છે, જે ખેડૂતોની જરૂરિયાતોને પૂર્ણ કરતું સમર્પિત પોર્ટલ છે. આ સુનિશ્ચિત કરશે કે, વિવિધ પ્રકારનાં કૃષિ ઉત્પાદનો લાખો ભારતીય ખેડૂતોને સુલભ બનાવવામાં આવશે. એસબીઆઈ યોનોનું મુશ્કેલી મુક્ત ચુકવણી પોર્ટલ અને ઇફ્કોના ગુણવત્તાયુક્ત ઉત્પાદનો એ એક સંયોજન છે જેનો હેતુ આ ક્ષેત્રમાં ડિજિટલ વેચાણ વેગ આપવાનો છે.
www.iffcobazar.in ભારતમાં ઝડપથી વિકસતા કૃષિ આધારિત ઇ-કોમર્સ પોર્ટલોમાંનું એક છે, જેને ઇફકો દ્વારા પ્રમોટ કરવામાં આવે છે, જે દેશના સૌથી મોટા ખાતર ઉત્પાદક છે. આ પોર્ટલ 12 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે અને આખા ભારતમાં મફત હોમ ડિલિવરીનું વચન આપે છે. તે ભારતભરના 26 રાજ્યોમાં 1200+ સ્ટોર્સ પણ ચલાવે છે. વિવિધ પ્રકારના ઉત્પાદનો જેમાં વિશેષ ખાતરો, જૈવિક કૃષિ-નિવેશ, બિયારણ, કૃષિ રસાયણો, કૃષિ-મશીનરી વગેરેનો સમાવેશ થાય છે, પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવે છે.
ઇફ્કોના એમડી ડો.યુ.એસ અવસ્થીએ ભાગીદારી પર બોલતા જણાવ્યું હતું કે, "ઇફ્કો અને એસબીઆઇ ભારતની બે સૌથી જૂની બિઝનેસ સંસ્થાઓ છે. અમારા નામમાં 'I' અક્ષર, જે ભારત માટે વપરાય છે, તે આપણને અક્ષર અને ભાવનાથી જોડે છે. મને એ કહેતાં ગર્વ થાય છે કે, આ એકીકરણ મારફતે બંને ગૌરવશાળી 'ભારતીય' સંસ્થા તેમના સંયુક્ત સમન્વય સાથે ભારતીય ખેડૂતોની ભલાઈની દિશામાં કામ કરી શકે છે." તેમણે આગળ કહ્યું હતું કે, "ઇફ્કો છેલ્લા 50 વર્ષથી ખેડૂતોની સેવામાં છે. iffcobazar.in એક એવું પ્લેટફોર્મ છે, જે ખેડૂતોને ડિજિટલ રીતે જોડશે અને તેમની સેવા કરશે. તેનો ઉદ્દેશ ડિજિટલ પ્રથમ અને ખેડૂત કેન્દ્રિત અભિગમ મારફતે ખેડૂતોની આવક બમણી કરવાનાં આપણાં માનનીય પ્રધાનમંત્રીનાં સ્વપ્નને સાકાર કરવાનો છે. પોર્ટલ મારફતે, ખેડૂતો માત્ર શ્રેષ્ઠ ગુણવત્તાવાળા બિન-સબસિડીવાળા ખાતરો અને અન્ય કૃષિ નિવેશ જ મંગાવી શકતા નથી, પરંતુ ખેડૂતોના મંચ અને સમર્પિત હેલ્પલાઇન દ્વારા પણ તેમના પ્રશ્નોના જવાબો મેળવી શકે છે. "તેમણે આગળ કહ્યું હતું કે, "એસબીઆઈ ભારતમાં નાણાકીય સંસ્થા તરીકે પ્રશંસનીય કાર્ય કરી રહી છે અને ગ્રામીણ ભારતમાં તેની પહોંચ અતુલ્ય છે. મને વિશ્વાસ છે કે એસબીઆઈ યોનો મારફતે iffcobazar.in પોર્ટલ સમગ્ર ભારતમાં ખેડૂતો વચ્ચે તેની પહોંચ વધારવામાં સક્ષમ બનશે."
શ્રી યોગેન્દ્ર કુમાર, માર્કેટિંગ ડિરેક્ટર, ઇફ્કો એ કહ્યું હતું કે, "ખેડૂતો માટે નાણાં અને ખાતરો બે મહત્ત્વપૂર્ણ નિવેશો છે. એસબીઆઈ યોનો અને iffcobazar.in તેમની સંબંધિત ક્ષેત્રની બે સૌથી મોટી ભારતીય સંસ્થાઓ વચ્ચે ભાગીદારી સાથે આખરે ખેડૂતોના ઘરઆંગણે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કૃષિ નિવેશો મેળવવા જોડાણ કરી શકે છે." તેમણે એમ પણ કહ્યું હતું કે, "આ જોડાણથી ઇફ્કો બજારને યોનોના 3 કરોડથી વધુ નોંધાયેલા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ મળશે, જેનો મોટો ભાગ ખેડૂતો છે. આ ભાગીદારી મારફતે આપણે ગ્રામીણ ભારતમાં મજબૂત બ્રાન્ડ ઇક્વિટીનો લાભ લઈ શકીએ છીએ. એક વિશ્વસનીય પરિસ્થિતિતંત્ર જે આખરે ખેડૂતો માટે નિવેશ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે."
ઇફ્કો વિશે
ઇફ્કો વિશ્વની સૌથી મોટી સહકારી મંડળીઓમાંની એક છે અને ખાતરોના ઉત્પાદન, વેચાણ અને વિતરણમાં સંકળાયેલી ભારતીય સહકારી મંડળીઓની સંપૂર્ણ માલિકીમાં છે. 1967માં માત્ર 57 સહકારી મંડળીઓ સાથે સ્થપાયેલી, આ સંસ્થા આજે 35,000થી વધુ સહકારી મંડળીઓનું મિશ્રણ છે, જેમાં સામાન્ય વીમાથી માંડીને ફૂડ પ્રોસેસિંગ અને ઓમાન, જોર્ડન, દુબઈ અને સેનેગલમાં હાજરી સુધીના વૈવિધ્યસભર વ્યાવસાયિક હિતોનો સમાવેશ થાય છે. ભારતમાં ખાતર ઉત્પાદનની પાંચ સુવિધાઓ અને સમગ્ર ભારતમાં વિસ્તૃત વિપણન નેટવર્ક સાથે ફોસ્ફેટિક ખાતરોની દર ત્રીજી બેગ અને ભારતમાં વેચાતી યુરિયાની દરેક પાંચમી બેગનું સંચાલન ઇફ્કો દ્વારા કરવામાં આવે છે. વર્ષ 2018-19 દરમિયાન ઇફ્કોએ 8.14 મિલિયન ટન ખાતરનું ઉત્પાદન કર્યું હતું અને આશરે 11.55 મિલિયન ટન ખેડૂતોને વેચ્યું હતું. પરંતુ ઇફ્કો માટે સર્વસમાવેશક વ્યાપાર મોડલ માટે હંમેશા ભારતીય ખેડૂત સમુદાય અને ભારતીય કૃષિના સર્વસમાવેશક અને સર્વગ્રાહી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. કોર્ડેટ, આઈએફએફડીસી અને આઈકેએસટી જેવી અનેક વિકાસ પહેલ આ દિશામાં ખાસ કામ કરે છે.